અરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા અજાણી મહિલાને પંજાબ ના જલંધર જિલ્લા ના આદમપુરના પરિવાર જોડે પુનઃસ્થાપન કરાવ્યુ

મોડાસા,

તા. ૧૧ ઓકટોબર -૨૦૨૦ ના રોજ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી 181 મહિલા હેલ્પલાઇન દ્વારા માનસિક રીતે અસ્થિર અસરગ્રસ્ત અજાણી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી ખાતે આશ્રય આપવામાં આવેલ હતો. અસરગ્રસ્ત બેનને OSC અરવલ્લી ખાતે આશ્રય દરમ્યાન જરૂરી સારવાર તથા કાઉન્સેલિંગ દ્વારા જણાવેલ કે તેઓ પંજાબ ના જલંધર જિલ્લા ના આદમપુર ના છે જેથી સખી વન સ્ટોપ સેન્ટર જલંધર નો સંર્પક કરતા મળેલ તમામ માહિતી ની તપાસ કરેલ. જેમાં બેનનો પરિવાર મળી આવેલ હતો. તેમજ પરિવાર સાથે વિડિયો કોલથી વાત કરાવેલ અને સદર બેન લોક ડાઉનમાં છ માસ થી ઘરેથી નીકળી ગયેલ તેવું જણાવેલ, પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી ગુજરાત ખાતે બેનને લેવા આવી શકે તેમ ન હોય સખી વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી દ્વારા અત્રેથી વાહન સાથે OSC તેમજ મહિલા પોલીસ સ્ટાફ સાથે OSC જલંધર ખાતે જઇ તેઓનું આજ રોજ તેમના પરિવાર જોડે પુનઃસ્થાપન કરવામાં આવેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment